પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના હેઠળ મળશે ૩૫ % સુધીની સહાય

0
એફ.પી.ઓ, સહકારી મંડળી, સ્વ સહાય જુથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫ % મહતમ રૂ. ૦૩ કરોડ સુધીની સહાય મળવાપાત્ર
સરકાર દ્વારા દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ખાદ્ય પદાર્થોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ‘પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME)’ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ ખાનગી ઉદ્યોગો, એફ.પી.ઓ, સહકારી મંડળીઓ અને સ્વ સહાય જૂથોને નાણાકીય સહાય આપવામાં આવે છે.
આ યોજના અન્વયે પાત્રતા ધરાવતા ખાનગી ઉદ્યોગોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% સુધી, વધુમાં વધુ રૂ.૧૦ લાખ સુધીની સહાય મળે છે. તેમજ એફ.પી.ઓ, સહકારી મંડળીઓ અને સ્વ સહાય જૂથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% સુધી, વધુમાં વધુ રૂ.૦૩ કરોડ સુધીની સહાય મળે છે.
આ યોજના હેઠળ અનેક પ્રકારના ખાદ્ય ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો સહાય મેળવી શકે છે, જેમાં ધાન્ય પાકો દાળ મિલ, ચોખા મિલ, પાપડ, ખાખરા, બેકરી ઉત્પાદનો, નમકીન, રેડી-ટુ-કુક (તૈયાર-રસોઈ), રેડી-ટુ-ઈટ (તૈયાર-ભોજન) વગેરે. ફળ પાકો જેમાં જામ, જેલી, જ્યુસ, અથાણાં, કેનિંગ, પલ્પિંગ, પ્યુરી, પેસ્ટ, પાવડર, રેડી-ટુ-સર્વ, રેડી-ટુ-ડ્રિંક વગેરે. શાકભાજી પાકો જેમાં પાવડર, રેડી-ટુ-કુક, ફ્રોઝન શાકભાજી વગેરે. તેલીબિયા પાકો જેમાં તલની ચીકી, સિંગની ચીકી વગેરે. મરીન ઉત્પાદનો: માછલીના અથાણાં, ઝીંગાના અથાણાં, પાવડર, ફ્રોઝન ઉત્પાદનો વગેરે. અન્ય જેમાં પશુનો ચારો અને મરઘા દાણ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
આ યોજના વિશે વધુ વિગતવાર માહિતી માટે https://pmfme.mofpi.gov.in વેબસાઈટની મુલાકાત લઈ શકાય છે. આ ઉપરાંત, રસ ધરાવતા લોકો નાયબ બાગાયત નિયામકશ્રી, બહુમાળી ભવન, રૂમ નંબર-૨૦૮, બીજો માળ, સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે તેમ નાયબ બાગાયત નિયામક, સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવાયું છે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top