દિવ્યાંગોને સમાન તકો આપવા સરકાર કટિબદ્ધ: સુરેન્દ્રનગરમાં સાધન સહાય કેમ્પમાં ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાનું સંબોધન

0
સુરેન્દ્રનગર ખાતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે સાધન સહાય નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત સવૈયાનાથ સમાજવાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તેમણે દિવ્યાંગોને પ્રોત્સાહન આપી, શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રયના આ સેવાકાર્યની પ્રશંસા કરી હતી.
નાયબ મુખ્ય દંડક  મકવાણાએ જણાવ્યું હતું કે, "દિવ્યાંગ વ્યક્તિઓ સમાજનો અભિન્ન અંગ છે અને તેમને સમાન તકો મળે તે માટે સરકાર કટિબદ્ધ છે." આ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિઓને જરૂરિયાત મુજબના સાધનો માટે નોંધણી કરવામાં આવી હતી, જે ભવિષ્યમાં વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા આવા સેવાકાર્યો નિયમિતપણે કરવામાં આવે છે, જે સમાજમાં એક સકારાત્મક સંદેશ આપે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top