ચોટીલામાં PM પોષણ અને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાના અસરકારક અમલીકરણ માટે નાયબ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

0
નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં ચોટીલા તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોની ૦૪/૦૮/૨૦૨૫ના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પી.એમ. પોષણ યોજના અને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનું અસરકારક અને પારદર્શક રીતે અમલીકરણ સુનિશ્ચિત કરવાનો હતો.
બેઠકમાં, અધ્યક્ષશ્રીએ સંચાલકોને વિવિધ સૂચનો આપ્યા હતા, જેમાં મેનુ મુજબ ગુણવત્તાયુક્ત ભોજન અને નાસ્તો આપવા, રજિસ્ટરો યોગ્ય રીતે નિભાવવા, દુધ સંજીવની યોજના અંતર્ગત ૨૦૦ મિલી ફ્લેવર્ડ મિલ્ક પ્રાર્થના સમયે આપવા, અને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર ભોજન બાદની નાની રિશેષમાં આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમણે ભોજન અને અલ્પાહાર વચ્ચે બે થી અઢી કલાકનો સમયગાળો જાળવવા અને જથ્થો મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે જ રાખવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠક દરમિયાન, આ બંને યોજનાઓના હેતુઓ વિશે પણ સમજણ આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ગરમ અને તૈયાર ભોજન પૂરું પાડવું, પોષણ સ્તર સુધારવું, બાળકોની હાજરી વધારવી, અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાઓ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
બેઠકમાં નાયબ મામલતદારશ્રી મધ્યાહન ભોજન યોજના, ચોટીલા અને તાલુકાના તમામ ગામોના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકથી યોજનાના સુચારુ અમલીકરણ માટે એક સ્પષ્ટ દિશા મળી છે અને બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પોષણ મળી રહે તે સુનિશ્ચિત થશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top