સુરેન્દ્રનગર: ભારે વરસાદથી નાયકા ડેમ 90% ભરાયો, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર

0
સુરેન્દ્રનગરમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નાયકા ડેમ 90% ભરાઈ ગયો છે, જેના પગલે તંત્ર દ્વારા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની સંભાવના છે.! આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જિલ્લામાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.જ્યારે સુરક્ષાના ભાગરૂપે, ડેમના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. 
આ ઉપરાંત, ભારે પવન અને વરસાદી વાતાવરણને કારણે તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top