વેળાવદર ગામે માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા

0
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેળાવદર ગામે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાના હસ્તે કારોલ – ચુડા – ચોકડી – કોરડા સુદામડા રોડ ઉપર માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું નિર્માણ પૂર્ણ થવાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને તમામ ગ્રામજનોને સરળતાથી અવરજવરનો લાભ મળશે.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા આ બ્રિજનું નિર્માણ અંદાજિત રૂ. ૨.૯૯ કરોડના ખર્ચે કરવામાં આવશે. આ માઇનોર બ્રિજનું બાંધકામ રોડના કિ.મી. ૧૩/૫ થી ૧૩/૭ વચ્ચેની કામગીરીમાં સામેલ છે.

આ પ્રોજેક્ટથી ચોમાસાની ઋતુમાં તેમજ અન્ય સમયે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે અને કનેક્ટિવિટીમાં સુધારો થશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top