આણંદમાં બે ગુનામાં નાસતા-ફરતા આરોપીને સુરેન્દ્રનગર SOGએ થાનગઢના હિટરનગરથી દબોચી લીધો

0

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂની સૂચના અને ઇન્ચાર્જ એસ.પી. શ્રી વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં એસ.ઓ.જી. (SOG) ટીમને મોટી સફળતા મળી છે. આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શરીર સંબંધી બે ગંભીર ગુનાઓમાં છેલ્લા સમયથી નાસતા-ફરતા આરોપી જીતેન્દ્રભાઇ હરિભાઇ મારાજને એસ.ઓ.જી.ની ટીમે થાનગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત એસ.ઓ.જી.ના પીએસઆઈ આર.જે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨ હેઠળ નોંધાયેલા બે અલગ-અલગ ગુનાઓનો આરોપી જીતેન્દ્રભાઇ મારાજ હાલ સુરેન્દ્રનગરના થાનગઢના હિટરનગર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડી આરોપીને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. હાલમાં આ આરોપીને આગળની કાર્યવાહી માટે થાનગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top